Sunday, October 20, 2024
HomeGujaratશ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબીના ઉપપ્રમુખ સ્વ. ભગવાનજીભાઇ પંચાસરાનું દુઃખદ અવસાન/શુક્રવારે બેસણું

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબીના ઉપપ્રમુખ સ્વ. ભગવાનજીભાઇ પંચાસરાનું દુઃખદ અવસાન/શુક્રવારે બેસણું

મુળગામ થોરીયારી ખાતે રહેતા અને હાલ મોરબી નિવાસી અને શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબીના ઉપપ્રમુખ સ્વ.ભગવાનજીભાઇ વાઘજીભાઇ પંચાસરાનું આજે તા.૦૫.૦૬.૨૦૨૪ ને બુધવારના રોજ ૭૧ વર્ષની ઉંમરે નિધન થયું છે. તે સ્વ. વાઘજીભાઈ ધનજીભાઈ પંચાસરાનાં પુત્ર, સ્વ. કાંતીભાઈ, સ્વ. ગોવિંદભાઈ, સ્વ. જયંતિભાઈ, દામજીભાઈ, કેશવજીભાઈ, સ્વ. લીલાવંતીબેન બાબુલાલ બકરાણીયા, ઈન્દુબેન દયાળજીભાઈ અઘેરા અને જશુબેન છોટાલાલ તલસાણીયાનાં ભાઈ તથા સ્વ. બીનાબેન અને સ્વ. રંજનબેન ભગવાનજીભાઇ પંચાસરાના પતી તથા પિયુષભાઈ (પીન્ટુભાઈ) અને કોમલબેન વિશાલકુમાર જાદવાણીનાં પિતા તથા આરતીબેન પિયુષભાઈ પંચાસરાનાં સસરા તેમજ દર્શિત અને પ્રિસાનાં દાદા તેમજ સ્વ. મનસુખભાઈ છગનભાઇ બકરાણીયાના જમાઇ તથા જગદીશભાઇ, અતુલભાઈ, હિતેશભાઈના બનેવી તથા સ્વ. હરગોવિંદદાસ લક્ષ્મણદાસ સિધ્ધપુરાના જમાઇ તથા રાજુભાઇ, અરવિંદભાઇના બનેવીનુ દુઃખદ અવસાન થયેલ હોય તેમનું સદ્ગતનું બેસણું આગામી તારીખ ૭/૬/૨૦૨૪ ને શુક્રવારના રોજ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી યુનીટ નં ૧ ઘંટીયા પા ભવાની ચોક પાસે મોરબી ખાતે સાંજે ૪.૩૦ થી ૬.૦૦ કલાકે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!