રાત્રે ૯.૩૦ વાગ્યે ઉપવાસ છાવણી ખાતે કાર્યક્રમ: ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ.
જેતપર ખેડૂત આંદોલન અંતર્ગત આજે તા.૬ જુલાઈ ૨૦૨૬ના રોજ રાત્રે ૯:૩૦ વાગ્યે ઉપવાસ છાવણી ખાતે ઉપવાસના પારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ખેડૂત આંદોલનના પાર્ટ-૩ની જાહેરાત તેમજ આગામી વ્યૂહરચનાનો ખુલાસો કરવામાં આવશે.
જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલનના પારણા કાર્યક્રમ માટે આયોજકોએ ખેડૂતો, પરિવારજનો, મિત્રો અને ગામજનોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરી છે. કાર્યક્રમ દરમિયાન ખેડૂત હિત, જમીન અને અધિકારોની લડતને નવા તબક્કામાં લઈ જવા માટેની આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે તેમજ ખેડૂત આંદોલન પાર્ટ-૩ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે.






