Sunday, October 20, 2024
HomeGujaratમોરબીના દરબારગઢ ખાતે નવગ્રહ શનિદેવ મંદિરે શનિદેવ-જયંતિ નિમિતે મહાપૂજા કાર્યક્રમ સંપન્ન

મોરબીના દરબારગઢ ખાતે નવગ્રહ શનિદેવ મંદિરે શનિદેવ-જયંતિ નિમિતે મહાપૂજા કાર્યક્રમ સંપન્ન

મોરબી: ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રમાણે દેશમાં ન્યાયના દેવ એવા શનિદેવની જયંતિ વૈશાખ માસની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબીમાં શનિદેવ જયંતિ પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે મોરબીના દરબારગઢ ખાતે આવેલ નવગ્રહ શનિદેવ મંદિરે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં શનિદેવ જયંતિ નિમિતે દરબારગઢ ખાતે આવેલ નવગ્રહ શનિદેવ મંદિરમાં શનિદેવ જયંતીના પર્વે શનિદેવની વિશેષ મહાપુજા કરી શનિપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સવારથી જ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ત્યારે યોજેલ મહાપૂજાનો ઘણા લોકોએ લાભ લીધો હતો.

આ મહાપૂજાના કાર્યક્રમને સફળ બનાવવા નવગ્રહ શનિદેવ મંદિરના ટ્રસ્ટી નિકુંજભાઈ તથા કાર્યકરો તેમજ મંદિરના પૂજારી માધવભાઈ તેમજ હિતેષભાઇ પંડ્યાએ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!