Saturday, October 5, 2024
HomeGujaratમાળીયા(મી)ના ત્રણ રસ્તા બ્રિજ ઉપર બ્રેકડાઉન થયેલ ટેઈલર પાછળ ટ્રક અથડાતા ચાલકનું...

માળીયા(મી)ના ત્રણ રસ્તા બ્રિજ ઉપર બ્રેકડાઉન થયેલ ટેઈલર પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત

માળીયા(મી): કચ્છથી મોરબી જતાં રોડ ઉપર ત્રણ રસ્તા ઓવરબ્રિજ ઉપર પુરગતીએ ચલાવી આવતા અશોક લેલન ટ્રકના ચાલકે મિકેનિકલ કારણોસર બંધ પડેલ ટેઈલરના ઠાઠાંમાં ટ્રક અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં ટ્રક ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર માળીયા(મી) નજીક હાઇવે ઉપર ત્રણ રસ્તા ઓવરબ્રિજ ઉપર કચ્છથી મોરબી તરફ જતા રોડ ઉપર એક ટ્રક ટ્રેઇલર રજીસ્ટર નંબર જીજે-૧૨-સીટી-૭૦૯૯ બ્રેકડાઉન હાલતમાં બંધ પડેલ હોય ત્યારે પૂરઝડપે તથા ગફલતભરી રીતે ચલાવી આવતા અશોક લેલન ટ્રક રજી. નં. જીજે ૧૨ સીટી ૩૫૩૨ના ચાલક જયંતીભાઇ નથૂભાઇ કોળી ઉવ.૪૨ રહે.રાતડીયા તા.નખત્રાણા જી.ભુજ (કચ્છ) વાળાએ ટ્રક ટ્રેઇલરના ઠાઠાંમાં જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતને પગલે ટ્રક ચાલક જયંતિભાઇનું શરીરે ગંભીર ઈજાઓને કારણે સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવની મુંદ્રા કચ્છના ઉમિયાનગર સોસાયટી શેરી નં.૨ માં રહેતા યુવરાજસીંહ ભુરુભા ઝાલાએ મૃતક ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ માળીયા(મી) પોલીસે મૃતક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!