Tuesday, October 1, 2024
HomeGujaratવાંકાનેરના કુંભારપરામાં દંપતી ઉપર થયેલા હુમલાની ફરિયાદ બાદ વળતી ફરિયાદ નોંધાઇ

વાંકાનેરના કુંભારપરામાં દંપતી ઉપર થયેલા હુમલાની ફરિયાદ બાદ વળતી ફરિયાદ નોંધાઇ

વાંકાનેરમાં ગતરાત્રીના પુત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી છ જેટલા શખ્સો દ્વારા ઘરમાં ઘૂસી પુત્રના માતાપિતા ઉપર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાયા બાદ સામે પક્ષે પણ પુત્ર તથા તેના કુટુંબી સામે માથામાં ઈટના ઘા મારી ઇજા પહોંચાડયાના બનાવની ફરિયાદ બે શખ્સો સામે નોંધાવી છે. જેમાં અગાઉ દિવાળી ઉપર ફટાકડા ફોડવા જેવી બાબતની ખાર રાખી બે શખ્સો દ્વારા ઇટના ઘા મારી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર કુંભરપારા આંબેડકરનગર શેરી નં ૫ માં રહેતા જીવણભાઈ ભરતભાઇ રાઠોડ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી પ્રભાતભાઈ નરેશભાઈ સોલંકી તથા ગુગો કનુભાઈ સોલંકી બંને રહે. કુંભારપરા આંબેડકરનગર વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી જીવણભાઈના દાદાજી દિવાળી ઉપર ગુજરી ગયેલ હોય તે સમયે આરોપી જીવણભાઇના ઘર પાસે ફટાકડા ફોડતા હોય જેથી ફટાકડા ફોડવાની ના પાડતા ઝગડો થયેલ હોય જેનો ખાર (રોષ) રાખી ગત તા. ૨૧/૦૬ ના રોજ આરોપી પ્રભતભાઈ તથા ગૂગો કનુભાઈ સોલંકીએ જીવણભાઈ સાથે બોલાચાલી કરી જેમફાવે તેમ ગાળો આપી આરોપી પ્રભાતભાઈએ નાએ જીવણભાઈને માથાના ભાગે ઇંટ (પથ્થર)ના બે ઘા મારી સામાન્ય ઇજા પહોચાડી આરોપી ગુગાએ નાએ ગુનો આચરવામાં એકબીજાની મદદગારી કરી હોય તે મુજબની ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!