Monday, October 7, 2024
HomeGujaratવાંકાનેર આંબેડકર નગર ના જીવલેણ હુમલાના બનાવ કેસ માં બે જુવેનાઇલ બાળ...

વાંકાનેર આંબેડકર નગર ના જીવલેણ હુમલાના બનાવ કેસ માં બે જુવેનાઇલ બાળ કિશોર ના શરતી જામીન મંજૂર

તારીખ:- ૨૧/૦૬/૨૦૨૪ ના રોજ વાંકાનેર આંબેડકર નગર ના જીવલેણ હુમલાના બનાવ કેસ માં IPC ની કલમ ૩૦૭,૩૨૫,૩૨૪,૩૨૩,૩૩૭,૪૪૭,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા GP એક્ટ ની કલમ ૧૩૫ મુજબ ના ગુનાની ફરિયાદ થયેલ હોય અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન A પાર્ટ ગુના.રજી.નં:-૫૮૭/૨૦૨૪ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ૩ આરોપી ની ધરપકડ કરવામાં આવેલ હોય ત્યાર બાદ અન્ય ૩ અજાણ્યા માણસ માં ૨ જુવેનાઈલ બાળ કિશોરો એ પોતાના વકીલ મારફતે મોરબી જુવેનાઈલ બોર્ડ સમક્ષ જામીન અરજી કરતા આ જીવલેણ હુમલા ના પ્રકરણ માં જુવેનાઈલ બાળ કિશોરો ના સરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

જેમાં જુવેનાઈલ તરફે મોરબી ના યુવાન એડવોકેટ ધારા વી. કુંડારીયા રોકાયા હતા તેમની ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરતા જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ એ તે સાંભળી અને ધ્યાને લઈ ને શરતી કામીન મંજૂર કરવામાં આવેલ હતા. આ કેસમાં બચાવ પક્ષના વકીલ તરીકે ધારા વી. કુંડારિયા, દીપેન્દ્ર વી.કુંડારિયા,ચિરાગ પાડલિયા,યોગેશ પારેજિયા રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!