Sunday, October 13, 2024
HomeGujaratમોરબીની લીલાપર ચોકડી નજીક આધેડનું મૃત્યુ નીપજ્યું, કારણ અકબંધ

મોરબીની લીલાપર ચોકડી નજીક આધેડનું મૃત્યુ નીપજ્યું, કારણ અકબંધ

મોરબીની લીલાપર ચોકડી નજીક આશીર્વાદ સર્વિસ સ્ટેશન પાસે બપોરના સુમારે આધેડ વ્યક્તિનું કોઈ કારણસર મૃત્યુ નિપજતા તેની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના નવાગામ(લખધીરનગર) રહેતા મુકેશભાઇ ખેંગારભાઇ સોલંકી ઉવ.૪૨નું ગઈકાલ તા.૧૩/૦૭ના રોજ બપોરના ૧.૫૦ વાગ્યા આસપાસ લીલાપર ચોકડી નજીક આશીર્વાદ સર્વિસ સ્ટેશન પાસે કોઈપણ કારણોસર મરણ જતા તેની ડેડબોડી અત્રેની સરકારી હોસ્પિટલમાં તેમના ભાઈ અજયભાઇ ખેંગારભાઇ સોલંકી લાવતા હોસ્પિટલમાં મેડિકલ અધિકારી દ્વારા પોલીસને જાણ કરી હતી ત્યારે પોલિસે સ્થળ ઉપર આવી ઇન્વેસ્ટ પંચનામા સહિતની કામગીરી હાથ ધરી હતી. હાલ અકાળે મોતને ભેટેલ મુકેશભાઈ સોલંકીના મૃત્યુ અંગે અ.મોતની નોંધ દાખલ કરી ઘટિત કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!