Sunday, October 13, 2024
HomeGujaratમોરબીની સબજેલમાં હત્યાના ગુનામાં સજા કાપતા કેદીનું ટીબીની બીમારી સબબ મૃત્યુ

મોરબીની સબજેલમાં હત્યાના ગુનામાં સજા કાપતા કેદીનું ટીબીની બીમારી સબબ મૃત્યુ

મોરબીની સબજેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા ૩૫ વર્ષીય કેદીનું ટીબીની ગંભીર બીમારી સબબ સારવાર દરમિયાન રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશનો વતની હાલ મોરબીની સબજેલ ખાતે હત્યાના ગુનામાં સજા કાપી રહેલા અર્જુન જવરચંદ ગામર ઉવ.૩૫ને ક્ષય રોગની ગંભીર બીમારી હોય જેની સારવારમાં તેને ગત તા.૦૬/૦૭ના રોજ મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરતા ગત તા. ૧૨/૦૭ના રોજ ટીબીની બીમારીની સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન અર્જુનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!