Thursday, September 19, 2024
HomeGujaratવાંકાનેર:સીરામીક કારખાનાના ક્વાર્ટરમાં બેભાન થઈ ઢળી પડેલ પરિણીતાનું મૃત્યુ

વાંકાનેર:સીરામીક કારખાનાના ક્વાર્ટરમાં બેભાન થઈ ઢળી પડેલ પરિણીતાનું મૃત્યુ

મળતી માહિતી અનુસાર વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ વરમોરા યુનિટ-૨ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઝારખંડ રાજ્યના બીટા પોસ્ટના બાલેમાદેવી જગમોહન બીરશા તીયુ ઉવ.૨૪ ગઈકાલ તા.૨૦/૦૭ના રોજ સવારના ૧૦ વાગ્યાની આસપાસ લેબર કોલોનીના ક્વાર્ટરમાં હોય ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા તેને બેભાન હાલતમાં સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કરવામાં આવી હતી. પ્રાથમિક પ્રાપ્ત વિગતોમાં મરણ જનાર પરિણીતાનો ૨ વર્ષનો લગ્નગાળો હોય ત્યારે હાલ મૃતદેહને પીએમ સહિતની તબીબી કામગીરી અર્થે હોસ્પિટલમાં રાખ્યો છે. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!