Sunday, October 6, 2024
HomeGujaratરાજકોટ નાગરિક સહકારી બેંકના ૭૨માં સ્થાપના દિન નિમિતે હળવદ શાખા દ્વારા બ્લડ...

રાજકોટ નાગરિક સહકારી બેંકના ૭૨માં સ્થાપના દિન નિમિતે હળવદ શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું કરાયું આયોજન

રાજકોટ નાગરિક સહકારી બેંક હળવદ શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૨ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. બેંકના ૭૨માં સ્થાપના દિવસે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉધોગપતિઓ, કર્મચારીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
- Advertisement -

આજરોજ હળવદ મધ્યે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંક હળવદ શાખા દ્વારા બેંકના 72 માં સ્થાપના દિન નિમિતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 62 બોટલ બ્લડની એકત્ર કરવામાં આવી હતી. જે સી.યુ.શાહ મેડિકલ એન્ડ હોસ્પિટલ બ્લડ બેન્ક ખાતે લોહી જરૂરિયાત હોય તેવા દર્દી નારાયણ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, દિપકદાસજી મહારાજ, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, અગ્રણી ઉદ્યોગપતિ જશુભાઇ પટેલ, બજરંગદળના ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર, જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની, માર્કેટિંગ યાર્ડ ચેરમેન રજનીભાઇ સંઘાણી , બિપીનભાઈ દવે, ગોવિંદભાઈ ભરવાડ, અરજણભાઇ ભરવાડ, દાદાભાઈ ડાંગર, વલ્લભભાઈ પટેલ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ તકે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઇ દવે અને ટ્રસ્ટ તરફથી ખુબ જ સહકાર પ્રાપ્ત થયો હતો. જે કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ નાગરિક સહકારી બેંકના મેનેજર પ્રશાંતભાઇ અઘેડા, સહિત બેંકના કર્મચારી અને શાખા વિકાસ સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!