Thursday, October 10, 2024
HomeGujaratવાંકાનેરના વરડુસર ગામે તળાવમાં ન્હાતી વેળા હાર્ટ એટેક આવતા પાણીમાં ડૂબી જતાં...

વાંકાનેરના વરડુસર ગામે તળાવમાં ન્હાતી વેળા હાર્ટ એટેક આવતા પાણીમાં ડૂબી જતાં પ્રૌઢનું મોત

વાંકાનેરના વરડુસર ગામે વિચિત્ર બનાવ સામે આવ્યો હતો જેમાં તળાવમાં ન્હાવા પડેલ ૫૦ વર્ષીય પ્રૌઢને ન્હાતા સમયે હૃદય રોગનો જોરદાર હુમલો આવતા પાણીમાં ડૂબી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા રાજાભાઈ બચુભાઇ દંતેશરીયા ઉવ.૫૦ વાળા ગઈ તા. ૦૮/૧૦ ના રોજ બપોરના સમયે તાલુકાના વરડુસર ગામે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયા હતા, ત્યારે ન્હાતી વખતે રાજાભાઈને જોરદાર હાર્ટ એટેક આવતા તેઓ પાણીમાં ડૂબી ગયા હતા જેથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી વરડુસર ગામના સરપંચ સહિતના લોકો રાજાભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં લાવતા જ્યાં પોલીસે વરડુસર ગામના સરપંચ મનુભાઈ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!