Friday, October 11, 2024
HomeGujaratમોરબીના ટીંબડી ગામ નજીક ગણેશનગરમાં રહેતા પ્રૌઢ મહિલાનો માનસિક બીમારી સબબ ગળેફાંસો...

મોરબીના ટીંબડી ગામ નજીક ગણેશનગરમાં રહેતા પ્રૌઢ મહિલાનો માનસિક બીમારી સબબ ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી ટીંબડી ગામના બોર્ડ પાસે પાટીદાર ટાઉનશીપ પાછળ આવેલ ગણેશનગરમાં રહેતા માનુબેન જયંતીભાઈ સારલા ઉવ. ૫૦ને છેલ્લા બે વર્ષથી માનસીક અસ્વસ્થ હોય અને તે બાબતે તેમની મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં દવા ચાલુ હોય અને છેલ્લા થોડા દિવસોથી એકલા એકલા રહેતા હોય અને એકલા બોલ બોલ કરતા હોય, માનસિક બીમારીની દવા ચાલુ હોય પરંતુ દવાથી કોઈ ફેર પડતો ન હોવાથી આખરે કંટાળી જઈ પોતાના ઘરે સીલીંગ ફેન સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ટીસરે મૃતક માનુબેનના મૃતદેહને તેમના પુત્ર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!