Saturday, October 12, 2024
HomeGujaratમોરબીમાં પ્રેમ સંબંધને કારણે થઈ યુવકની હત્યા:યુવકનું અપહરણ કરી હત્યા કરનાર ૧૨...

મોરબીમાં પ્રેમ સંબંધને કારણે થઈ યુવકની હત્યા:યુવકનું અપહરણ કરી હત્યા કરનાર ૧૨ લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબીમાં ગત મોડી રાત્રે થયેલ યુવકની હત્યા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઈકાલે વિજય ઉર્ફે રવી માનેવાડિયાને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી. જે મામલે મોરબી સિટી બિ ડિવિઝન પોલીસે ૧૨ જેટલા લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પ્રવીણ અદગામા,નરેશ વાઘેલા,કિશોર વાઘેલા,વિશાળ કોળી,હકા અદગામા,કાના હકા,જયેશ અદગામા,સુનીલ જોગડિયા,મનીષ ઉર્ફે ભોલો,મેરિયો રબારી અને એક અજાણ્યા ઇસમ વિરુદ્વ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી પંથકમાં ગત રાત્રિએ યુવાનનું અપહરણ કરી હત્યા કર્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. શહેરના ઇન્દિરા નગર માં ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા ૨૩ વર્ષીય યુવાનનું અનેક શખ્સો દ્વારા અપહરણ કરી લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ બેલા ગામ નજીક પથ્થરને લાકડી વડે બેફામ માર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ થયું હતું. જે મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ૧૨ જેટલા લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પ્રવીણ અદગામા,નરેશ વાઘેલા,કિશોર વાઘેલા,વિશાળ કોળી,હકા અદગામા,કાના હકા,જયેશ અદગામા,સુનીલ જોગડિયા,મનીષ ઉર્ફે ભોલો,મેરિયો રબારી અને એક અજાણ્યા ઇસમ વિરુદ્વ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી પ્રવીણ અને હકાની ભત્રીજી સાથે મૃતકને પ્રેમ સબંધ હોવાની જાણ થતાં અન્ય આરોપીઓ સાથે મળી હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!