Sunday, October 13, 2024
HomeGujaratમોરબી:શ્રી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળ આયોજિત ૪૧ મો વિદ્યાર્થી તેજસ્વીતા અભિવાદન સમારોહ સંપન્ન

મોરબી:શ્રી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળ આયોજિત ૪૧ મો વિદ્યાર્થી તેજસ્વીતા અભિવાદન સમારોહ સંપન્ન

મોરબીમાં બ્રહ્મસમાજના શ્રી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળ- મોરબી દ્વારા દર વર્ષની વિજયા દસમીના દિવસે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે ત્યારે વર્તમાન વર્ષે તા.૧૨ ઓક્ટો.૨૦૨૪ ના રોજ ૪૧ માં વિદ્યાર્થી તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ઔદીચ્ય બ્રાહ્મણ ભોજનશાળા ખાતે કરવામાં આવેલ આયોજનમાં ઔદીચ્ય વિદ્યોતેજક મંડળના તમામ સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધોરણ ૧ થી ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહના અંતમાં હાજર ઔદીચ્ય વિદ્યોતેજક સભ્યો પરિવાર સાથે પ્રસાદ લઈ પ્રસંગની પુર્ણાહુતી જાહેર કરવામાં આવી હતી તેમ ઔદીચ્ય વિદ્યોતેજક મંડળ પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા તથા મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!