Monday, October 14, 2024
HomeGujaratમોરબી ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા આગામી ૧૭ ઓક્ટો.ના રોજ નિઃશુલ્ક નિદાન કેમ્પનું...

મોરબી ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા આગામી ૧૭ ઓક્ટો.ના રોજ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું

મોરબી:ઇન્ડિયન લાયન્સ કલબ-મોરબી દ્વારા આગામી ૧૭/૧૦ ના રોજ પરસોતમ ચોક રાધાકૃષ્ણ મંદિર ખાતે મોરબી આયુષ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પંથકમાં સેવાકીય કાર્યો કરતી ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા તા.૧૭/૧૦ ને ગુરુવારના રોજ પરસોતમ ચોક કાલિકા પ્લોટમાં રાધા કૃષ્ણ મંદિર ખાતે આયુષ હોસ્પિટલના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જરૂરિયાત મુજબના દર્દીઓને નિઃશુલ્ક ઈ.સી.જી. તથા એક્સરે સહિત લેબોરેટરી રિપોર્ટ કરી નિદાન કરવામાં આવશે તથા જરૂર જણાયે સુપર સ્પેશ્યલ ડોકટરને કન્સલ્ટિંગ માટે આયુષ હોસ્પિટલમાં ફ્રી માં રિફર કરવામાં આવશે તો મોરબીની જાહેર જનતાને આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા રુચિર એ. કારિયા(ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી) દ્વારા વિનંતીસહ અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!