Monday, October 14, 2024
HomeGujaratમોરબી પાટીદાર શિક્ષક સમાજનો વાર્ષિક સમારોહ યોજાયો

મોરબી પાટીદાર શિક્ષક સમાજનો વાર્ષિક સમારોહ યોજાયો

મોરબી પાટીદાર શિક્ષક સમાજનો વાર્ષિક સમારોહ મહાનુભાવોની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો. મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતમાં વાર્ષિક સમારોહ યોજવામાં આવ્યો હતો. પાટીદાર શિક્ષક સમાજ મોરબી દ્વારા સ્નેહમિલન, તેજસ્વિતા સન્માન અને રાસોત્સવ જેવા કાર્યક્રમોને સાંકળતો ‘વાર્ષિક સમારોહ’ યોજવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેવા પરિવારના બંધુ ભગીનીઓનું ગ્રૂપ મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજમાં એકતા અને એકજુટતા આવે અને હું નહિ આપણે ની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન, રાસોત્સવ,તેજસ્વીતા સન્માન અને વિદાય સન્માન સમારોહનું આયોજન દ્વારકાધીશ હોલ ખાતે સમાજની રાજકીય, સામાજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે અદકેરા સમારોહનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, મોરબી-માળીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા – પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કે.એસ.અમૃતિયા મહામંત્રી જિલ્લા ભાજપ, પૂર્વ નાયબ નિયામક ડો.વી.બી.ભેંસદડીયા, નથુભાઈ કડીવાર સહિતનાં રાજકીય અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત, જયંતિભાઈ જે.પટેલ, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ, અશોકભાઈ દેસાઈ – શિક્ષણવિદ્, પી.ડી. કાંજીયા જિલ્લા અધ્યક્ષ, રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દિનેશભાઈ વડસોલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા વગેરેએ ખાસ ઉપસ્થિત રહી પાટીદાર શિક્ષક સમાજ મોરબીના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારે સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન 2047 માં વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છે પણ મને એમ લાગે છે કે આજે 98 અને 99 ટકા લાવતા દિકરા દિકરીઓ ભારતને 2040 માં જ વિકસિત રાષ્ટ્ર બનાવી દેશે. તેમજ રાષ્ટ્ર ઘડતર અને સંસ્કારી સમાજનું ઘડતર કરવાની જવાબદારી શિક્ષકોના શિરે છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શિક્ષકોની ઉત્તમ પ્રવૃત્તિ બદલ અભિનંદન આપ્યા હતા. પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા પાટીદાર શિક્ષક સમાજના અત્યાર સુધીના પાંચે પાંચ વાર્ષિક સમારોહમાં ઉપસ્થિત રહયા છે એમને નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોલી દર્શક, ઓ.આર.પટેલ વગેરે જેવા શિક્ષકરત્નોના ઉદાહરણો આપી શિક્ષકોનું મહાત્મીય વર્ણવ્યું હતું. આમ મંચસ્થ મહાનુભાવોએ પ્રેરણાદાયી વક્તવ્યો આપીને શિક્ષકોની પીઠ થાબડી હતી. સમારોહ અંતર્ગત ઘો.10, ઘો.12 તેમજ જવાહર નવોદય વિદ્યાલય તેમજ અન્ય પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કરેલ તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન કરાયું હતું. નિવૃત્ત થનાર શિક્ષકોને નિવૃત્તિ વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું હતું..

આ સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા, હર્ષદ મારવણિયા, શૈલેષ ઝાલરીયા, અશ્વિન એરણિયા, રમેશ કાલરીયા, સંજય બાપોદરિયા, કિરણ કાચરોલા,જીજ્ઞેશ રાબડીયા, શૈલેષ કાલરીયા, મુકેશ બરાસરા, રમેશ ભાટીયા, અશ્વિન દલસાણીયા, શશીકાંત ભટાસણા, અશોક વસિયાણી, સતીષ જીવાણી, રાજેશ મોકાસણા, સંજયભાઈ કોટડીયા, ગિરીશ કલોલા અને સંદીપ લોરિયા વગેરે સમિતિ કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહના દાતા રાજેશભાઈ ઘોડાસરા અને સંજયભાઈ કોટડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયા, હર્ષદભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવ્યું હતુ. સમારોહ પૂર્ણ થયા બાદ ભોજન સમારંભ અને રાસોત્સવનું પાન આયોજન કરવામાં આવ્યું હતું..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!