મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા જેતપર ગામને R.O ફિલ્ટર પ્લાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેતપર ગામના દિનેશભાઈ હીરાભાઈ અમૃતિયાના સ્મરણાર્થે જાહેરાત કરવામાં આવી છે.
મોરબીના જેતપર ગામના દિનેશભાઈ હીરાભાઈ અમૃતિયાના દુખઃદ અવસાન થયું હતું. ત્યારે મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા જેતપર ગામે સ્વ.દિનેશભાઈ અમૃતિયાના સ્મરણાર્થે જેતપર ગામની જનતા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે વ્યવસ્થાના ભાગ રૂપે અજયભાઈ લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા R.O ફિલ્ટર પ્લાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.આ જાહેરાત કરી અજયભાઈએ ધન્યતાની લાગણી અનુભવી હતી.