મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચોના પ્રમુખ નિર્મલભાઈ સામતભાઈ જારીયા પરિવારના સહયોગથી વિનામુલ્યે મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખના રોજ નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પ યોજવામાં આવશે. અત્યાર સુધીના ૪૧ કેમ્પમા કુલ ૧૨,૦૬૪ લોકોએ લાભ લીધો છે. તેમજ ૫૪૯૭ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરાવવામાં આવ્યા છે.
ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ, શ્રી જલારામ ધામ – મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તા. ૪-૩-૨૦૨૫ મંગળવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ સામતભાઈ જારીયા પરિવારના સહયોગથી કેમ્પ યોજવામાં આવશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.. જે કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- ૯૮૨૫૦ ૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮ ૮૦૫૮૮, હરીશભાઈ રાજા- ૯૮૭૯૨ ૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા- ૮૫૧૧૦ ૬૦૦૬૬ નો સંપર્ક કરવા સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે. ગત ૪૧ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૧૨,૦૬૪ લોકોએ લાભ લીધો છે. તેમજ ૫૪૯૭ લોકો ના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન કરાવવામાં આવ્યા છે.