મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમના રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે તા. ૨૩/૦૪/૨૦૨૫ના રોજ બપોરે ૦૪:૦૦ વાગ્યે ૨ દરવાજા ૨ ફુટ ખોલી ૧૪૫૬ ક્યુસેકનો પાણીનો જથ્થો પ્રવાહ પસાર કરવામાં આવશે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં મોરબી તાલુકાના ૨૦ ગામ અને માળીયા મીયાણા તાલુકાના ૯ ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમના રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે તા. ૨૩/૦૪/૨૦૨૫ના રોજ બપોરે ૦૪:૦૦ વાગ્યે ૨ દરવાજા ૨ ફુટ ખોલી ૧૪૫૬ ક્યુસેકનો પાણીનો જથ્થો પ્રવાહ પસાર કરવામાં આવશે. જેથી ડેમના નીચાણ વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગૂંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, અને માળિયા (મી) ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.