મોરબીમાં રહેતા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ અને મોરબી જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ જાનકીબેન કૈલાની દીકરી રાગીનો આજરોજ જન્મદિન હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, રાગીને નાનપણથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય, સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ત્યારે તેના જન્મદિવસ નિમિતે ઠેરઠેરથી રૂબરૂ, સોશ્યલ મીડિયાથી તેમજ ફોન દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે આજરોજ રાગીએ પોતાના જન્મ દિવસ નિમિતે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિને અનુદાન અર્પણ કર્યું હતું. ત્યારે આવી જ રીતે થોડા સમય પહેલા મોરબી જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાનો જન્મદિવસ હતો ત્યારે પણ ડૉ. હેડગેવાર સ્મારક સમિતિને અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમ જીગ્નેશભાઈ કૈલાએ જણાવ્યું હતું..