મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.09.05.2025 થી તા.18.05.2025 સુધી બાળકો માટેની સિદ્ધ સમાધિ યોગ શિબિર યોજવામાં આવશે. જેમાં ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિરમાં ઉંમર 8 થી 14 વર્ષની વય મર્યાદા ધરાવતા બાળકોને રજિસ્ટ્રેશન કરવા માટે જણાવવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં નાના બાળકો માટે ખેલકુદ, રમવાને બદલે ભણવાનું મહત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે. માતા-પિતા પોતાના બાળકોને નિતનવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમજ શાળાકીય પરીક્ષામાં પણ પોતાના બાળકોને 100 ટકા જ આવવા જ હોય એવી અપેક્ષા જ રાખે છે. જેને કારણે નાના બાળકોમાં માનસિક તણાવ વધી રહ્યો છે. બાળકો ડિપ્રેશન અને મોબાઈલના આદિ બની ગયા છે. બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આવી અનેક જટીલ સમસ્યાઓનું શું કોઈ ઉકેલ નથી ? હા, ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્રના ઋષિ પ્રભાકરજી દ્વારા પ્રેરીત ચિલ્ડ્રન એસ.એસ.વાય.પાસે તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. બાળકમાં રહેલ સર્વોત્તમ શક્તિને બહાર લાવી વિકસાવવા, બાળક સહજ રીતે અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરવા સક્ષમ બને, બાળકના જિદી અને ગુસ્સાવાળા સ્વભાવમાં આમુલ પરિવર્તન કરવા, બાળકની અભ્યાસ અને સર્જનાત્મક પ્રવૃત્તિમાં આગળ વધારવા ઈચ્છતા હોય, બાળક જવાબદાર શિસ્તબદ્ધ અને બીજાને મદદરૂપ થાય તેવું ઈચ્છતા હોય, બાળક નમ્ર વિવેકી અને આજ્ઞાંકિત બને તેવું ઈચ્છતાં હોય, બાળકનો શારીરિક માનસિક સામાજિક ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય તેવું ઈચ્છતા હોય તો જરૂરથી બાળકને ચિલ્ડ્રન એસ.એસ.વાય શિબિરમાં મોકલવા જોઈએ તેમ નવનીતભાઈ કુંડારિયાએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું છે કે ચિલ્ડ્રન એસ.એસ.વાય અત્યંત સરળ શક્તિશાળી, અસરકારક અને પરિણામલક્ષી યોગની સાધના છે. જેમાં પ્રાણાયામ, ધ્યાન અને જીવન ઉધર્વગામી બનાવે તેવા વિષયોની ચાર્ટ બનાવી સમજ આપવામાં આવે છે. અને બાળકના જીવનમાં ઘણા શારીરિક અને માનસિક ફાયદા અનુભવાય છે. જે શિબિરમાં આઠ વર્ષથી ઉપરના અને 14 વર્ષની ઉંમર સુધીના જ બાળકોને જોડાઈ શકે છે. આ શિબિર દસ દિવસની છે અને દરરોજ આશરે ૪:૩૦ થી ૬:૪૦ વાગ્યા સુધી બે કલાકનો સમય છે. છેલ્લા દિવસે સવારથી સાંજ સુધી બહાર જવાનું હોય છે. આ સીબીરનું વિગતવાર માહિતી આપતું ઇન્ટ્રોડકશન લેક્ચર સેમિનાર વાલીઓ માટે તા.09.05.25 ના રોજ સાંજે 4.30 વાગ્યે રાખવામાં આવ્યો છે. શિબિર તા: 09/ 05/2024 થી તા.18/05/2025 સમય સાંજે 4.30 થી 6:30 કલાકે ઈડન ગાર્ડન,એસ.પી.મેઈન રોડ મોરબી ખાતે યોજવામાં આવશે. જેના રજિસ્ટ્રેશન માટે સંપર્ક નવનીતભાઈ કુંડારીયા મોબાઈલ નંબર 9825224898 અને ધ્રુવ દેત્રોજા મો.9913111202 પર રજીસ્ટ્રેશન કરવા એસએસવાય આચાર્ય નવનીતભાઈ કુંડારીયાએ જણાવ્યું છે.