રાજ્યની અંદર દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની શાન અને આપણું માન એવા ગીરના સાવજની વસ્તી ગણતરીમાં નિરીક્ષક તરીકે રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ જોડાયા હતા. તેમના દ્વારા ૮૧ સિંહની ગણતરી કરવામાં આવી હતી અને પોતાની અવિસ્મરણીય ક્ષણની યાદો વિડીયો દ્વારા શેર કરી હતી.
દર પાંચ વર્ષે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા સિંહની વસ્તી ગણતરી કરી સિંહનો અંદાજ લેવામાં આવે છે. ત્યારે હાલ ૧૬મી સિંહ વસ્તી ગણતરી – ૨૦૨૫ અંતર્ગત હાલ રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકા વિસ્તારમાં ડાયરેકટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી અને સ્થાનિક લોકો તેમજ અગ્રણીઓની ભાગીદારીથી એશિયાઈ સિંહોની ગણતરી કરવામાં આવી રહી છે.
જે અંતગર્ત રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહજી સાસણ ગીર ખાતે સિંહની વસ્તી ગણતરીના નિરીક્ષક તરીકે જોડાયા હતા. તેમજ પ્રવાસમાં જોડાઈને વ્યક્તિગત રીતે ૮૧ સિંહોની ગણતરી કરી હતી. અને આ ક્ષણ પોતાના માટે ચિરસ્મરણીય રહી હતી. તેવી પોસ્ટ સાથેનો વિડીયો શેર કર્યો હતો. ગીરની આગવી ઓળખ એવા એશિયાઈ સાવજની ગણતરીમાં સામેલ થવાથી તેમને અત્યંત હર્ષ સાથે ગૌરવની અનુભૂતિ વ્યક્ત કરી હતી.