Friday, June 6, 2025
HomeGujaratમોરબીમાં દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

મોરબીમાં દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

મોરબી: વિશ્વ હિન્દુ પરિષદ- સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મોરબી ખાતે યોજાયેલ દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગનો સમાપન સમારોહ ૩૧ મે, ૨૦૨૫ના રોજ ઉજવાયો હતો. આ સમારોહમાં અખિલ ભારતીય સમરસતા સંયોજક દેવજીભાઈ રાવત અને પોલીસ કોન્સ્ટેબલ ભૂમિબેન ભૂત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શારીરિક શૌર્યપ્રદર્શન કર્યું અને મોટી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી.

- Advertisement -
- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજિત દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ મોરબી જીલ્લામાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. વરિષ્ઠ માર્ગદર્શક અને અખિલ ભારતીય સમરસતા સંયોજક દેવજીભાઈ રાવતના ઉપસ્થિત અને ઉદ્દબોધનથી સમાપન સમારોહ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ અતિથિ તરીકે મોરબી પોલીસ વિભાગના સ્પોર્ટ્સ ક્વોટાના પોલીસ કોન્સ્ટેબલ ભૂમિબેન ભૂત હાજર રહ્યા હતા. આ સમારોહનું આયોજન ઠાકરશીભાઈ ડી. પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દુર્ગાવાહિનીની વિદ્યાર્થી બહેનો દ્વારા ૭ દિવસના તાલીમ દરમિયાન શીખેલા વિવિધ શારીરિક પ્રશિક્ષણોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં લક્ષ્ય ભેદ, તિરંદાજી, દંડ યુદ્ધ, યોગાસન અને ઓબેસ્ટિકલ જેવી કસરતોનો સમાવેશ થયો હતો. મોરબીના હિન્દુ ધર્મપ્રેમી લોકો આ સમારોહને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!