મોરબીના વાંકાનેર દરવાજા વિસ્તાર પાસે અસહ્ય ગંદકી ની સાથે જ ખુલ્લી ગટરો માટે અવાર નવાર રજુઆતો કરાઈ છે ત્યારે આ ખુલ્લી ગટરમાં અનેક વખત પશુઓ પડી જવાના બનાવો સામે આવ્યા છે અને આજે ફરી એક વખત આ ખુલ્લી ગટરમાં આખલો પડી જતા મનપાની કામગીરીની પોલ છતી થઈ છે અને ખુલ્લી ગટરને કારણે વારંવાર બનતા બનાવોને કારણે હવે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે મોરબી લગધીરવાસ વાંકાનેર દરવાજા પાસે ખુલી ભૂગર્ભ ગટરમાં ગૌવંશ અવારનવાર પડી જાય છે અનેક વાર રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય જોવા મળે છે.શું મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ મોટી જાનહાની થાય એની રાહ જોઈ રહ્યા છે? વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અન્ય સંગઠન દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હકીકતમાં કોઈ બાળક કે કોઈ વ્યક્તિ પડી જાય ત્યાં સુધી શું મહાનગરપાલિકાના અધિકારીઓ ચૂપચાપ આવી રીતે બેઠા રહેશે?જેમકે આની પહેલા નવલખી રોડ પર ખુલ્લી ગટરમાં પણ એક બાળક પડી ગયું હોય ને પછી ખુલ્લા વોંકળામાં પતરા મારીને સેફટી દિવાલ બનાવી હોય તો શું આ કુંડીમાં પણ બાળક પડી જાય પછીજ કુંડી ઢાંકવામાં આવશે? જો તાત્કાલિક ના ધોરણે કાર્યવાહી કરવામાં નહીં આવે તો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.