Sunday, June 8, 2025
HomeGujaratવાંકાનેરના દીઘલીયા ગામે જંતુનાશક દવા ગટગટાવી યુવકે કર્યો આપઘાત

વાંકાનેરના દીઘલીયા ગામે જંતુનાશક દવા ગટગટાવી યુવકે કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામમાં રહેતા ૨૫ વર્ષના યુવકે પોતાની વાડીમાં જંતુનાશક પી લઈને આત્મહત્યા કરી હતી. યુવક માનસિક રીતે અસ્વસ્થ હતો અને પત્નિ રિસામણે પિયરમાં રહેતી હતી, જ્યાં તેણે દીકરીને જન્મ આપ્યો હતો. તેણીએ પતિને બાળકીનું મોઢું ન જોવા દેતા જે કારણે યુવકે તાણમાં આવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે રહેતા મુઝફ્ફર ઉસ્માનભાઇ ખોરજીયા ઉવ.૨૫ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમાર હોય જેથી તેની પત્ની પિયરમાં રિસામણે જતી રહેલ હતી. જ્યાં તેમની પત્નીએ તેના પિયરમાં દીકરીને જન્મ આપેલ, ત્યારે મુઝફ્ફર પિયરે ગયો ત્યાં તેને પોતાની દીકરીનું મોઢુ પણ ન જોવા દેતા, જેનુ મનોમન લાગી આવતા દીઘલીયા ગામની સીમમાં રેલ્વે ફાટક નજીક આવેલ પોતાની વાડીમાં મુઝફ્ફરે જંતુનાશક દવા પોતાની જાતે પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!