વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સ્કોવેર સેનેટરીમાં પરિવાર સાથે રહેતા ૧૫ વર્ષીય રાકેશભાઇ રાજુભાઇ મંગાભાઇ સોલંકી કે જેઓ મૂળ લાખણકા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરના રહેવાસી હોય ત્યારે ગયી તા.૦૬ જુનના રાત્રીના દશેક વાગ્યાના અરશામાં ગળામા દુખાવો થતા મકનસર પ્રાઇવેટ હોસ્પીટલમા સારવારમા લઇ ગયેલ અને દવા લઇને ઘરે આવી ગયેલ ત્યારબાદ સવારના વધુ દુખાવો થતા મોરબી શ્યામ હોસ્પીટલમા સારવારમા લાવેલ અને ત્યા ડોકટર દ્વારા મોરબી સરકારી હોસ્પિટલમા લઇ જવા જણાવ્યું હતું. જેથી રાકેશભાઈને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલ જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી રાકેશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે મૃતકના પિતા પાસેથી વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી છે