Saturday, June 14, 2025
HomeGujaratમોરબી: લાલપર નજીક રેલવે પાટા પર ટ્રેન હડફેટે સીરામીક શ્રમિકનું કરુણ મોત.

મોરબી: લાલપર નજીક રેલવે પાટા પર ટ્રેન હડફેટે સીરામીક શ્રમિકનું કરુણ મોત.

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં કોરલ ગ્રેનાટો કંપની પાસે રેલવે પાટા નજીક સીરામીક શ્રમિક યુવકનું ડેમુ ટ્રેનની અડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના શરીર બે ભાગ થઈ ગયેલા હાલતમાં મળી આવ્યો હતો. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં કોરલ ગ્રેનાટો કંપનીની લેબર કોલોનીમાં રહેતા મૂળ રાજસ્થાન રાજ્યના ધૌલપુર જીલ્લાના ગુર્જર મહોલા નકસોદાના વતની ભોલુ રામભરોસી ગુર્જર ઉવ.૨૬ ગત તા.૧૧ જૂન ૨૦૨૫ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યે કોરલ ગ્રેનાઈટોની લેબર કોલોનીના રૂમેથી રેલ્વેના પાટા બાજુ કુદરતી હાજતે ગયેલ અને અકસ્માતે ડેમુ ટ્રેનની અડફેટે આવી જતા શરીરના કમરથી બે ભાગ થઈ જતા તેમજ માથે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતા ભોલુ ગુર્જરનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી તપાસની તજવીજ હરહ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!