હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં વાલાજી મંદિર પાસે રહેતા શનીભાઇ ભગવાનજીભાઇ ધા.પરમાર ઉવ.૨૫ ગઈકાલ તા.૧૫/૦૬ ના રોજ સાંજના સમયે હળવદ સરા રોડ ઉપર રઘુનંદન સોસાયટી પાછળ ભગવાનજીભાઇ ભીખાભાઇ ધા.પરમારની વાડીમા આવેલ ઓરડીમા રહેલ બોર્ડમા ઇલેક્ટ્રીક શોક લાગતા શનિભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે હળવદ પોલીસને જાણ થતાં પોલીસે મૃતકના પિતા ભગવાનજીભાઈ ભીખાભાઇ ધા. પરમાર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે