Tuesday, June 17, 2025
HomeGujaratમોરબીના વજેપરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા બે ઈસમોએ પાડોશી પરિવાર...

મોરબીના વજેપરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા બે ઈસમોએ પાડોશી પરિવાર ઉપર હુમલો કર્યો.

ઘર પાસે પાર્ક કરેલ ઈકો કારમાં પણ પથ્થરના ઘા મારી નુકસાની કરી.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં વજેપર શેરી નં.૨૨ માં ઘર પાસે ગાળો બોલતા બે ઇસમોને ગાળો બોલવાની ના પાડતા, સાસુ-સસરા તેમજ પુત્રવધુ ઉપર હુમલો કર્યા અંગેની ઘટના સામે આવી છે, જેમાં બંને ઈસમોએ ઢીકા પાટુ તથા છુટ્ટા પથ્થરના ઘા મારી પાડોશી પરિવારના ત્રણેય સભ્યોને ઇજાઓ પહોંચાડી હતી, તેમજ ઘર બહાર પાર્ક કરેલ કારમાં પણ નુકસાની કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર બનાવ મામલે ઇજાગ્રસ્ત મહિલા દ્વારા બન્ને ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓની અટક સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના વજેપર શેરી નં.૨૨ માં નિશાળ પાસે રહેતા હિરલબેન દિલીપભાઈ કંજારીયા ઉવ.૩૩ એ આરોપી રવિભાઈ ઉર્ફે બુચીયો દેવજીભાઈ કોળી તથા ગીરીશભાઈ નારણભાઇ કંજારીયા રહે. બન્ને વજેપર વાળા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તસ.૧૬/૦૬ના રોજ સાંજના સમયે ઉપરોક્ત બંને આરોપીઓ હિરલબેનના ઘર પાસે ગાળો બોલતા હોય ત્યારે હિરલબેનના સસરાએ બન્નેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા, એકદમ ઉશ્કેરાયેલ બન્નેએ હિરલબેનના સસરાને ઢીકા પાટુનો માર માર્યો હતો, ત્યારે વચ્ચે છોડાવવા જતા તેમના સાસુને પણ બન્ને શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો, અબે છુટ્ટા પથ્થરના ઘા મારવા લાગ્યા હતા, જેમાં હિરલબેનને માથામાં અને છાતીના ભાગમાં ઇજાઓ પહોંચી હતી, અને ઘર બહાર પાર્ક કરેલ ઇકો કાર રજી.નં. જીજે-૩૬-બી-૪૦૩૬ માં પણ પથ્થરના ઘા મારી નુકસાની કરી હતી, તે દરમિયાન હિરલબેનના પતિ દિલીપભાઈ આવી જતા, બન્ને આરોપીઓએ પોલીસ કેસ નહિ કરવા અંગે ધમકી આઓટ કહ્યું કે ‘જો પોલીસ કેસ કરશો તો તમામને છરીના ઘા મારીને પતાવી દેશું’. હાલ ત્રણેય ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા, જ્યાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!