અજાણ્યા ચોરે રાત્રીના સમયે દુકાનનો દરવાજો તોડી ચોરીને અંજામ આપ્યો, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
વાંકાનેરમાં ભોજપરા ગામે રહેતા અને વેપાર કરતા વેપારીની દુકાનમાં તસ્કરો દ્વારા લાકડાનો દરવાજો તોડી દુકાનના ટેબલમાંથી રોકડા રૂ. ૧૦ હજારની ચોરી કરી હતી. ફરીયાદ આધારે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતા વેપારી એજાજ એહમદભાઇ ઇસ્માઇલભાઇ માથકીયા ઉવ.૩૪ની દુકાને અજાણ્યા ઇસમો રાત્રી દરમિયાન ઘૂસીને ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની ફરિયાદ મુજબ ગઈ તા. ૨૦ માર્ચના રોજ રાત્રીના સાડા અગિયારથી લઈને ૨૧ માર્ચના સવારે સાડા સાત વાગ્યા વચ્ચેના સમયમાં અજાણ્યા શખ્સે ફરીયાદીની દુકાનનો લાકડાનો દરવાજો તોડી દુકાનના ટેબલના ખાનામાંથી અંદાજે રૂ. ૧૦ હજાર રોકડ રકમ ચોરી લીધી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.