મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-ર ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે. તેમજ મચ્છુ-ર ડેમ રિપેરિંગની કામગીરી ચાલુ હોય ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવવા માટે ૩ ઇંચ ઓવરફ્લો થઈ રહ્યો છે. જેથી ૩૯૭૭ ક્યુસેક આવકની સામે ૧૧૭૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી મોરબી તેમજ માળીયા મિયાણા તાલુકાના ૨૯ ગામોને એલર્ટ રહેવા તેમજ નદીના પટ્ટ ન જવા સૂચના અપાઇ છે.
મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-ર ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે. તેમજ મચ્છુ-ર ડેમ રિપેરિંગની કામગીરી ચાલુ હોય ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવવા માટે ૩ ઇંચ ઓવરફ્લો થઈ રહ્યો છે. જેથી ૩૯૭૭ ક્યુસેક આવકની સામે ૧૧૭૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેથી મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવા પર, ગુંગણ,બ્લ નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર,હરીપર,મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) સહિત ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સેક્શન અધિકારી બી.સી. પનારા મચ્છુ-૨ ડેમ સાઇટ જોધપર દ્વારા સૂચના આપવામાં આવી છે.