મોરબીમાં ગઈકાલે રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી આ સાથે જ મનપા તંત્રની પ્રિ મોન્સુન કામગીરી અને બેદરકારીની પણ છતી થઈ છે. આની સાથે જ નાગરિકોને પણ ખૂબ હાલાકી ભોગવી પડી રહી છે.
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં છેલ્લા એક દસકા થી રોડ રસ્તા અને ગટરની માંગણીઓ થઈ રહી છે પરંતુ આજ સુધી કોઈ પણ અધિકારી કે નેતા દ્વારા લાતી પ્લોટ વિસ્તારની દરકાર લેવામાં આવી નથી. ત્યારે આ સિઝનના પ્રથમ વરસાદમાં જ મનપા તંત્રની પોલ છતી થઈ છે.મનપા તંત્રની બેદરકારી નો કારણે અનેક લોકો વાહન ચાલકોને હેરાન થવાનો અને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.થોડા સમય અગાઉ લાતી પ્લોટ વિસ્તારમાં મનપા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું જે કામ પૂર્ણ થયા બાદ એ રોડને પાકો બનાવવામાં ન આવતા માત્ર માટી નાખી દેવામાં આવી હતી ત્યારે આ વરસાદ ને કારણે અહીં કીચડ થયો હતો અને માટી માં પોલાણ થઈ જવા ને કારણે આખો દિવસ સતત વાહનો એક પછી એક ફસાતા રહ્યા હતા અને વાહનો ફસાઈ ગયા બાદ જે ક્રેન બોલાવવામાં આવે તે ક્રેન પણ આ કિચડમાં ફસાઈ ગઈ હતી ત્યારે હવે લાતી પ્લોટની સમસ્યા મામલે તંત્ર ધ્યાન આપે એવી માંગ ઉઠી છે.