હળવદ ટાઉનમાં રહેતા એક યુવક સાથે ૧૫ વર્ષ પહેલાના ઝઘડા તકરારનું મનદુઃખ રાખી લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના આ બનાવમાં યુવકને માથામાં અને પગમાં ઇજાઓ પહોચતા, હળવદ સરકારી હોસ્પિટલ ખાતે તથા સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર લીધી હતી, ત્યારે સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર દ્વારા હળવદ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હળવડમાં આંબેડકરનગર-૧ માં રહેતા ઉમેશભાઈ બચુભાઇ રાઠોડ ઉવ.૩૯ ગઈ તા.૧૭/૦૬ના રોજ પોતાની ૯ વર્ષની દીકરીને લઈને સ્કૂલેથી ઘરે ચાલીને આવતા હોય તે દરમિયાન, આંબેડકરનગર-૧ સરા રોડ ઉપર સખી મરચા ફ્લોર મીલ પાસે પહોચતા પાછળથી આરોપી અમન હસુભાઈ પરમાર રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ વાળો કે જેની સાથે પંદર વર્ષ પહેલા મંદિરના વહીવટ બાબતે તેના પિતા તથા તેના કોટુંબીક ભાઇઓ સાથે ઝઘડો તકરાર થયેલ હોય જેનુ મન:દુખ રાખી આરોપી અમને આવી લોખંડના પાઈપથી ઉમેશભાઈને ડાબા પગમા ગોઠણથી નીચેના ભાગે તથા માથાના ભાગે લોખંડનો પાઇપ મારી દેતા માથામા ટાંકા આવેલ તથા ડાબા હાથની વચ્ચેની આગળીમા ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, બનાવ બાદ ઇજાગ્રસ્ત હાલતમાં ઉમેશભસીને તેમના ભાઈઓ દ્વારા જળવાડ સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં માથામાં ટાંકા તથા પગમાં મૂંઢ ઇજાઓની સારવાર લઈ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર લીધી હતી, હાલ ઉમેશભાઈએ હળવદ પોલીસ મથક ખાતે આરોપી અમન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.