Sunday, June 22, 2025
HomeGujaratમોરબીના મયુરપુલ ઉપર બંધ પડેલ મોટરસાયકલ તસ્કરો ઉઠાવી ગયા

મોરબીના મયુરપુલ ઉપર બંધ પડેલ મોટરસાયકલ તસ્કરો ઉઠાવી ગયા

મોરબીમાં છાસવારે મોટર સાયકલ ચોરીના બનાવો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક મોટર સાયકલ ચોરીના બનાવમાં કલર કામ કરતા પરપ્રાંતિય આધેડ પોતાના કામ ઉપરથી રાત્રીના ઘરે પરત જતા હોય તે દરમિયાન મયુર પુલ ઉપર કોઈ કારણોસર મોટર સાયકલ અચાનક બંધ થઈ જતા, ત્યાં મોટર સાયકલને લોક કરીને પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ અજાણ્યા વાહન ચોર ઉપરોક્ત મોટર સાયકલ ચોરી કરીને લઈ ગયા અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબી-૨ ઇન્દિરાનગર ગાયત્રીનગરમાં રહેતા ચારણસિંહ ગંભીરસિંહ પાલ ઉવ.૪૫ જેઓ કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ગત તા.૧૪/૦૬ ના રોજ રાત્રીના ચરણસિંહ પોતાનું કલર કામ પૂર્ણ કરીને, પોતાના નામે રજીસ્ટર સ્પ્લેન્ડર નંબર જીજે-૩૬-એબી-૧૯૪૨ લઈને ઘરે પરત જઈ રહ્યા હોય તે દરમિયાન મયુરપુલ ઉપર તેમનું મોટર સાયકલ કોઈ ખરબીથી બંધ પડી ગયું હતું, જે અનેકો વાર પ્રયાસ કરવા છતાં મોટર સાયકલ સ્ટાર્ટ ન થતા, તેને રાણીબાગ નજીક પાર્ક કરીને ચાલરણસિંહ રીક્ષામાં ઘરે ચાલ્યા ગયા હતા. બીજેદિવસે સવારે ચરણસિંહ મયુર પુલ ઉપર કે જ્યાં તેમણે મોટર સાયકલ પાર્ક કરેલ ત્યાં પહોચતા, ત્યાં મોટર સાયકલ જોવા ન મળ્યું જેથી આજુબાજુમાં તપાસ કરતા , મોટર સાયકલ ક્યાંય જોવા નહીં મળતા, પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!