મોરબી: વીસીપરા વિસ્તારમાં વિજયનગર શેરી નં.૧ માં રહેતા લક્ષ્મણભાઇ દેવજીભાઇ પરમાર ઉવ.૪૦ નામના આધેડને નાનપણથી આચકીની બીમારી હોય જેથી પોતાની બિમારીના કારણે પોતાની જિંદગીથી કંટાળી જઇ પોતે પોતાની જાતે પોતાના ધરે રૂમમાં છતના હુંક સાથે દોરડુ બાંધી ગળે ફાસો ખાઇ જતા, પરિવારજનો તેમને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ફરજ પાર હાજર ડોક્ટરે જોઈ તપાસી લક્ષ્મણભાઈને મરણ ગયાનું જાહેર કર્યું હતું, જે બાદ પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ ટીમ સ્થળ ઉપર પહોચી હતી, મૃત્યુના બનાવ અંગેની તપાસમાં મૃતકના પુત્ર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.