મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાએ જિલ્લા કલેકટર મોરબીને પત્ર લખી કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષ પૂર્ણ થવા પર મોરબી મુકામે સંવિધાન હત્યા દિવસના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ કોની મંજૂરી કરવામાં આવ્યો તે સહિતની માહિતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે કે કટોકટી લગાવ્યા ૫૦ વર્ષ પૂર્ણ થવા પર મોરબી ખાતે ભાજપાની કુપાત્ર સરકાર પાસે હવે ઉત્સવોના કોઈ મુદ્દા નથી રહ્યા એટલે “હત્યા દિવસ” ની ઉજવણી કરી છે. મોદી સરકારની મનસ્વી અને ભ્રષ્ટ વહીવટથી દેશમાં છેલ્લા ૧૧ વર્ષથી અઘોષિત ઈમરજન્સીનો જનતા ભોગ બની રહી છે. ત્યારે રોજબરોજ સંવિધાનના ધજીયા ઉડી રહ્યા છે એજ ભ્રષ્ટ ભાજપા સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરે…?આ કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષ પૂર્ણ થવા પર મોરબી મુકામે સુવિધાન હત્યા દિવસનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કલેકટરે તેમજ જીલ્લા સરકારી તંત્ર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કલેકટર દ્વાર કાર્યક્રમ કોની સુચનાથી કરવામાં આવ્યો છે. તેમજ આવો કાર્યક્રમ સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ છે કે કેમ ? જેની લેખીતમાં જાણ કરવા વિનંતી કરાઈ છે. જે કટોકટી લાગેલ તે કટોકટી પણ ભારતીય બંધારણ મુજબ લગાવવામાં આવેલી તો તેને સંવિધાન હત્યા દિવસ કઈ રીતે કહી શકાય ? આવા કાર્યક્રમો આપી વહીવટી તંત્રએ લોકશાહીનું અપમાન કર્યું છે. તેમજ ભારતીય બંધારણની માન મર્યાદા જાળવવાનું મોરબી વહીવટી તંત્ર ચુકી ગયું છે. વધુમાં આવો કાર્યક્રમ કરવા માટે સરકારે સુચના કે પરિપત્રની જાણ કરેલ હોય તો તેની માહિતી લેખીત સ્વરૂપમાં આપવા જાણ કરવામાં આવી છે