વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે ઉપર આવેલા હસનપર ઓવરબ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં ૪૬ વર્ષીય આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી છે.
વાંકાનેર શહેરના નવાપરા રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા જીવણભાઈ દેવજીભાઈ મેસરીયા ઉવ.૪૬ ગઈકાલ તા. ૨૮/૦૬ના રોજ રાત્રિના સમયે હસનપર ઓવરબ્રિજ ઉપર મોટરસાયકલ લઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ કારણસર તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું, ત્યારે જીવણભાઈને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમના મૃત્યુ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે