Wednesday, August 13, 2025
HomeGujaratરાજનગર યુવા ગ્રુપ દ્વારા શ્રી જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે : શોભાયાત્રા, મહાઆરતી સહિતના...

રાજનગર યુવા ગ્રુપ દ્વારા શ્રી જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે : શોભાયાત્રા, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન

હિન્દુ ધર્મમાં અત્યંત શુભ અને ભક્તિમય ગણાતો કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજનગર યુવા ગ્રુપ દ્વારા શ્રી જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જગતગુરૂ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ 16 ઓગસ્ટને શનિવારના રોજ સવારે 8 થી 12 કલાકે હનુમાનજીના મંદિરથી શોભાયાત્રાનું પ્રયાણ થશે. જયારે રાત્રે 12 કલાકે જન્મ ઉત્સવ ઉજવાશે. તેમજ બપોરે 12:15 કલાકે હરસિધ્ધિ હનુમાનજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ભક્તજનોએ પોતાની આરતી માટે ખાલી થાળી તૈયાર લાવવાની રહેશે. આરતી માટે જરૂરી સમાન જેવા કે કોડીયું, દિવેલ, વાટ વગેરે આયોજકો દ્વારા આપવામાં આવશે. તેમ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!