Wednesday, September 17, 2025
HomeGujaratમોરબીમાં આગવમી ૧૮ સપ્ટે.ના રોજ આઈ.ટી.આઈ. મહેન્દ્રનગર ખાતે તાલુકા કક્ષાનો ભરતીમેળો યોજાશે

મોરબીમાં આગવમી ૧૮ સપ્ટે.ના રોજ આઈ.ટી.આઈ. મહેન્દ્રનગર ખાતે તાલુકા કક્ષાનો ભરતીમેળો યોજાશે

મોરબી જીલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ ભરતી મેળામાં મોરબી જીલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએસસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.

આ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જીલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!