Thursday, October 9, 2025
HomeGujaratમોરબી તાલુકામાં અલગ-અલગ ત્રણ સ્થળે અપમૃત્યુના બનાવો નોંધાયા

મોરબી તાલુકામાં અલગ-અલગ ત્રણ સ્થળે અપમૃત્યુના બનાવો નોંધાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક જ દિવસે અલગ-અલગ ત્રણ અપમૃત્યુના બનાવોની નોંધ કરવામાં આવી છે. જેમાં એક યુવકે ઝેર પી આત્મહત્યા કરી, બીજાએ ગળેફાંસો ખાઈ જીવ ગુમાવ્યો, જ્યારે ત્રીજા કિસ્સામાં ફેક્ટરીમાં કામ દરમ્યાન અકસ્માતે ઈજા થતાં સારવાર દરમ્યાન એક મજૂરનું મૃત્યુ થયું હતુ

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકામાં તાજેતરમાં અલગ-અલગ ત્રણ અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના જેપુર ગામ નજીક ત્રિમંદીર પાસે બન્યો હતો. માણેકવાડા ગામના હરેશભાઈ મનસુખભાઈ ચનીયારા ઉવ.૩૫ એ તા.૦૬ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ કોઈ અકળ કારણસર ઝેરી દવા પી લીધી હતી. તેમને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મરણ થયું હતું. મોરબી તાલુકા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.

બીજો અમૃત્યુનો બનાવ મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામની સીમમાં આવેલી બી.એસ. ઓટોપેક કંપનીની લેબર કોલોનીમાં બન્યો હતો. જ્યાં આષીશ ધરમપાલ પાસવાન ઉવ.૨૫ રહે.મૂળ ઉત્તર પ્રદેશના વતની એવો યુવક માનસિક બીમારીની દવા લેતો હતો. અને એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. બંને વચ્ચે ફોન ઉપર વાતચીત દરમિયાન મનદુખ થતાં આષીશે લેબર કોલોનીના પોતાના રૂમ નં. બી-૨૧માં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

જ્યારે અમૃત્યુનો ત્રીજો બનાવ ઉંચી માંડલ ગામની સીમમાં આવેલી રોક સ્લેપ સિરામીક ફેક્ટરીમાં બન્યો હતો. જ્યાં ફેક્ટરીમાં કામ કરતા દાદુલાલસિંહ બારેલાલસિંહ ગૌડ ઉવ.૨૦ મૂળ મધ્ય પ્રદેશના વતની તા.૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ રાત્રે કામ દરમ્યાન ઈલેક્ટ્રિક રોબોટ તથા ટાઇલ્સ મુકવાના ઘોડા વચ્ચે આવી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તા.૦૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ તેમનું મરણ થયું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!