નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલના સ્ટેચ્યુથી મણીમંદિર સુધી પદયાત્રાનું આયોજન, બહોળી સંખ્યામાં જોડાવવા જીલ્લાવાસીઓને કલેક્ટર સ્વપ્નિલ ખરેનો અનુરોધ.
મોરબી: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મોરબી જીલ્લામાં યોજાઈ રહેલા કાર્યક્રમ અન્વયે મોરબી વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજન મુજબ આગામી ૨૦ નવેમ્બરના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી મોરબીમાં સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસસ્ટેન્ડ થી મણીમંદિર સુધી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવવા જીલ્લાવાસીઓને જીલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.









