મોરબી તાલુકાના બરવાળા ગામે આવેલ કારખાનામાં ૩૭ વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધા અંગેના બનાવ મામલે પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના બરવાળા ગામ નજીક આવેલ રોયલ પોલીપ્લસ કારખાનામાં કામ કરતા રણજીત રાજનાથ પાસવાન ઉવ.૩૭એ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાના બનાવ મામલે મૃતકની ડેડબોડી અત્રેના સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે બનાવ અંગે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.









