મોરબીના રવાપર રોડ વિસ્તારમાં વીજશોક લાગતા ૨૦ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન દુખદ મોત નીપજ્યું છે. હાલ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી શહેરના આલાપ રોડ ઉપર શિવસૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ બળવંતભાઈ ભાડજા ઉવ.૨૦ને રવાપર ગામના પાદરમાં વીજશોક લાગતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આશાસ્પદ યુવકનુ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે હાજર તબીબ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા આવતા મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.









