વાંકાનેરના વીશીપરા વિસ્તારમાં રહેતા ૮૨ વર્ષીય વૃદ્ધનું ઘરે અચાનક તબિયત બગડતા મોત નિપજ્યું છે. ઉલ્ટી-ઉબકા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા અને બાદમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મારાં નોંધ કરી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર શહેરના વીશીપરા વિસ્તારમાં રહેતા રામજીભાઈ જીવણભાઈ ધરજીયા ઉવ.૮૨ તેમના રહેણાંક મકાને અચાનક મોત નિપજ્યું હતું. બનાવ સમયે તેમને અચાનક ઉલ્ટી અને ઉબકા થતા તબિયત બગડી ગઈ હતી, જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી છે.









