મોરબી શહેરમાં વિવાહ સાડી શોરૂમ ઉપર આવેલી રહેણાંક ઓરડીમાં ૨૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં એક યુવાન દ્વારા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક અંકિતભાઈ કાનાભાઈ મકવાણા ઉવ.૨૦ મૂળ રહે.ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વતનીએ ગત ૫ એપ્રિલની રાત્રે પોતાના ઓરડામાં છતના પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે સ્થળ પર પહોંચી મૃતકની બહેન પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.









