Friday, April 10, 2026
HomeGujaratટંકારામાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિની ધરપકડ કરાઈ

ટંકારામાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિની ધરપકડ કરાઈ

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તેમજ મોરબી એસપી મુકેશ પટેલની સૂચના અનુસાર ડીવાયએસપી એસ.એચ. શારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પીઆઇ જે.ડી.ઝાલા સહિતની ટીમે હત્યાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

બનાવની વિગત મુજબ ટંકારાના લજાઈ-ભીમનાથ રોડ ઉપર ગોરસ કારખાના પાસે આવેલ સિલ્વર પ્લાસ્ટિક નામના કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ શનક બાયપાસ રોડ જોગણીનગરના વતની ફરિયાદી સાહીલ સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા ઉવ.૧૭ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેના પિતા આરોપી સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા અને સાહિલની નવી માતા શકુબેન વચ્ચે અગાઉની પત્ની બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. ગત તા.૦૮/૦૪ના રોજ રાત્રે પણ આ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં આરોપી પિતાએ શકુબેનના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું.ત્યારબાદ આરોપીએ પોતાના પુત્રને હત્યા કર્યાની કબૂલાત આપી ધમકી આપી લાશને ફેકવા સાથે આવવા કહ્યું હતું. ત્યારે પુત્રએ ના પાડતા આરોપી એકલા પોતાની પત્નીની લાશ રીક્ષામાં નાખી ભીમનાથ મહાદેવ મંદિર નજીક ડેમ પાસે બાવળની કાંટમાં નાખવા જતા, ફરિયાદી સાહિલે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!