મોરબી તાલુકાના જુના લીલાપર ગામે ૩૦ વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના જુના લીલાપર ગામે રહેતા મહેશભાઈ ધનજીભાઈ ગણેશિયા ઉવ.૩૦એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.





