વાંકાનેરની ઝાલા હોસ્પિટલમાં ગાંઠના ઓપરેશન માટે દાખલ કરાયેલી ૩૫ વર્ષીય મહિલાનું બાથરૂમમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામે રહેતા ઉષાબેન અરવિંદભાઈ મકવાણા ઉવ.૩૫ને ગાંઠના ઓપરેશન માટે ઝાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ તેઓ બાથરૂમમાં ગયા હતા ત્યારે અચાનક પડી જતાં બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીન શરૂ કરી છે.






