મોરબી તાલુકાના પાનેલી (ગીડચ) ગામે ૧૭ વર્ષીય સગીરાએ વાડીમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના પાનેલી (ગીડચ) ગામે અંબારામભાઈ આંબાભાઈ સુવાડિયાની વાડીમાં ૧૭ વર્ષીય સંજનાબેન રણછોડભાઈ રાઠોડે કોઈ અગમ્ય કારણોસર જાંબુડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી, સગીરાના આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.






