મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલી જેડ વિટ્રિફાઇડ કંપનીના લેબર ક્વાર્ટરમાં ઓડિશાના ૪૩ વર્ષીય શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અપમૃત્યુ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલી જેડ વિટ્રિફાઇડ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા સંજયભાઈ દુર્યોધનભાઈ મહંતો ઉવ.૪૩ મૂળ વતન શામકુલા ગામ કેન્દુડિયા પોસ્ટ મયુરભંજ જીલ્લો ઓડિશાના વતનીએ ગાયક તા.૦૨/૦૭ના રોજ અગમ્ય કારણોસર પોતાના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ એએસઆઈ એફ.આઈ. સુમરા ચલાવી રહ્યા છે.






